Bakara Ucher Yojana Gujarat| બકરા ઉછેર યોજના ગુજરાત । dsag sahay

Bakara Ucher Yojana Gujarat યોજના dsag sahay દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.  બકરા ઉછેર યોજના યોજના શુ છે ? આ યોજનામાં અરજી કરવાની લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવા માટેની મહત્વની તારીખ, યોજના હેઠળ મળવાપાત્ર સહાય વગેરે જેવા પ્રશ્નના જવાબ અહી આપવામાં આવેલ છે. મિત્રો,  dsag sahay gujarat gov in  પોર્ટલ દ્વારા આદિજાતિ ભાઇઓ-બહેનોની સુવિધા માટે યોજનાઓ જેવી કે, કૃષિ વૈવિધ્ય કરણ યોજના, ટીસ્યુ કલ્ચર બનાના યોજના, જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના જેવી ખુબજ મહત્વની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ દરેક યોજનાઓથી આજે આદિજાતિ ભાઇઓ-બહેનો ખેતી કે અન્ય ધંધા રોજગાર ક્ષેત્રે રોજગારીની તકો મેળવવા સક્ષમ બન્યા છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Bakara-Ucher-Yojana
dsag sahay yojana

આ પણ વાંચો : વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના @dsagsahay gujarat gov in

Bakara Ucher Yojana Gujarat: મુખ્ય હેતુઓ

મોટાભાગનો આદિવાસી વિસ્તાર ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં સિંચાઇની સુવિધા ખુબજ ઓછા પ્રમાણમાં છે. જેથી ખેતી કે અન્ય પશુપાલન જેવા વ્યવસાય કરવાં પણ પરવડે તેમ નથી. એવા સંજોગોમાં આદિવાસી પરિવારમાં બહેનોને આ યોજના હેઠળ 10 બકરી તથા 1 બકરો ખરીદવા માટે રૂ. 45000/- સુધીની સહાય આપવામાં આવે છે. જેથી તેઓ પગભર થઈ શકે અને આવક બમણી કરી શકે.

બકરા ઉછેર યોજના વિશે :

યોજનાનું નામ બકરા ઉછેર યોજના યોજના
ડિપાર્ટમેંટનું નામ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
કોને લાભ મળશે ગુજરાત રાજ્યના આદિજાતિ લોકોને
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવા માટેની અધિકારિક વેબસાઇટ https://dsagsahay.gujarat.gov.in/
અરજી કરવાની શરૂઆતની તારીખ 21/02/2025
અરજી કરવાની અંતિમ તારીખ30/04/2025

બકરા ઉછેર યોજના હેઠળ મળનાર લાભ:

બકરા ઉછેર એકમ સ્થાપવા માટે 10 બકરી અને એક બકરો ખરીદવા માટે રૂ. 45000/- સુધીની સહાય આપવામાં આવે છે.

અમલીકરણ માટેની જિલ્લાઓ:

આ યોજનાનું અમલીકરણ નીચે મુજબના જિલ્લાઓમાં કરવામાં આવશે.

  • નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના 14 આદિજાતિ જિલ્લાઓમાં આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

યોજનાનું અમલીકરણ કરનાર એજંસી:

આ યોજનાનું અમલીકરણ ડેવલોપ સપોર્ટ એજન્સી ઓગ ગુજરાત, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, તેમજ લોકલ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાંથી કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપ આ સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો

આ પણ વાંચો: dsag sahay Portal | આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર | જાણો વિગતવાર માહિતી

બકરા ઉછેર યોજના માંં અરજદારની પાત્રતા

આ યોજનાનો લાભ આદિજાતિ મહિલાઓ કે જેવો પુખ્ત વયની છે તેઓને મળશે.

આ યોજનાનો અમલ આદિજાતિ જિલ્લાઓમાં શિડ્યુલ એરિયા પોકેટ અને ક્લસ્ટર માં વસવાટ કરતાં આદિજાતિ મહિલા પશુપાલક માટે કરવામાં આવશે

લાભાર્થીની પસંદગી માટે નીચે મુજબ અગ્રતાક્રમ રહેશે.

  • પશુપાલક મહિલા લાભાર્થી આદિમ જૂથના હોય.
  • ફોરેસ્ટ રાઇટ અધિકાર પત્ર ધરાવતા આદિજાતિ પશુપાલક મહિલા લાભાર્થી. 
  • અન્ય તમામ આદિજાતિ પશુપાલક મહિલા લાભાર્થી

અન્ય આદિજાતિ પશુપાલક મહિલા લાભાર્થી પૈકી નીચેના અગ્રતા ક્રમ મુજબ લાભાર્થી પસંદગીની પ્રાથમિકતા આપવાની આવશે.

  • દિવ્યાંગ આદિજાતિ મહિલા.
  • વિધવા અથવા ત્યક્તા આદિજાતિ મહિલા.
  • 0 થી 20 સુધીનો સ્કોર ધરાવતા બીપીએલ આદિજાતિ મહિલા પશુપાલક લાભાર્થી. 

આ યોજના હેઠળ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધારકાર્ડની નકલ- અરજદારની
  • રેશનકાર્ડની નકલ -અરજદારની
  • અરજદારના જાતિના પ્રમાણપત્રની નકલ
  • જંગલ જમીન માટેનું સનદ કે અધિકારિક પત્ર)
  • અરજદારનો 0 થી 20 નો સ્કોરનો બી.પી.એલ. નો દાખલો.
  • અરજદારની બેંક પાસબુક/કેંન્સલ ચેકની નકલ
  • વિધવા હોય તો પતિના મરણનું દાખલો 
  • જો ત્યક્તા હોય તો છૂટાછેડા થયેલ હોય તેનો પુરાવો
  • દિવ્યાંગ માટે ડોક્ટરે પ્રમાણપત્ર

અરજી કરવાની રીત । બકરા ઉછેર યોજના ( Online Application)

બકરા ઉછેર યોજના માં અરજી કરવા માટે ફક્ત ઓનલાઇન સુવિધા આપવામાં આવેલ છે. જે આપ નીચે સરળ સ્ટેપ્સ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશો.

Bakara Ucher Yojana
Bakara Ucher Yojana Gujarat

આ યોજના વિશેની વધુ માહિતી માટે આપ પ્રાયોજના વહીવટદારશ્રી, પ્રાયોજના વહીવટદારની કચેરી, તમામ આદિજાતિ જિલ્લાઓમાં મુલાકાત લઈ શકો છો.

  • સૌપ્રથમ લાભાર્થીએ ઓનલાઇન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • આપણે અગાઉ જાણ્યુ તે મુજબ યોજના ના તમામ માપદંડો મુજબ જો આપની લાયકાત છે તો આપ આ યોજના હેઠળ અરજી કરી શકશો.
  • લાભાર્થી ઉપર મુજબની લિંક પર ક્લિક કરતા ડિસેગસહાયની અરજી કરવાની વેબસાઇટ ખુલી જશે.
  • અહીં આપ “લાભાર્થી રજીસ્ટ્રેશન” ક્લિક કરતાં અરજી માટેનું ફોર્મ ખુલી જશે.
  • “યોજનાનું નામ પસંદ કરો” નામના બોક્ષમાંથી “બકરા ઉછેર યોજના” પસંદ કરો
  • ક્લિક કરતા આ યોજના માટેનું ફોર્મ ખુલી જશે.
  • હવે અરજદારે તમામ વિગતો ખુબજ કાળજી પુર્વક ભરવી.
  • રેશનકાર્ડ નંબર નાંખીને “Check” પર ક્લિક કરો અને અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે.
  • હવે પુરુષ કે સ્ત્રી તેમજ જાતિ અને પેટાજાતિ પસંદ કરવાનું રહેશે.
  • જાતિનું પ્રમાણ પત્ર ઓપલોડ કરવાનું રહેશે.
  • જન્મ તારીખ નાખવી
  • દિવ્યાંગ હોય તો તેના વિકલ્પમાં YES પસંદ કરવાનું રહેશે.
  • BPL/FRA/PVTG જેવા વિકલ્પ પસંદ કરવાના રહેશે.
  • જો આપ BPLપસંદ કરો છો તો તેની આઇડી અને સ્કોર લખવાનો રહેશે.
  • ત્યારબાદ સર્વે નંબર, જમીનનો ખાતાનો નંબર અને ક્ષેત્રફળ નમુના 7/12 અને 8-અ મુજબ લખવાનો રહેશે.
  • અરજદારનો મોબાઇલ નંબર લખવો.
  • અરજદારે સરનામાની વિગતો જેવી કે ગામ, તાલુકો, જિલ્લો કાળજીપુર્વક દાખલ કરવાનું રહેશે.
  • ત્યારબાદ રેશનકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ નંબર દાખલ કરવાનું રહેશે.
  • આમ તમામ વિગતો સફળતાપુર્વક દાખલ કર્યા બાદ આપણે આગળ દર્શાવ્યા મુજબના દસ્તાવેજો પી.ડી.એફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના રહેશે.
  • અંતમાં આપેલ કેપ્ચે નાખી ને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • આપ પોતાના અરજી ક્રમાંક નોંધી લેવી અથવા તેની પ્રિંટ કાઢી લેવી.
  • અરજી ક્રમાંકથી આપ અરજીની સ્થિતિ જાણી શકશો.

યોજના સંંબધિત મહત્વની લિંક

આ પણ વાંચો: કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) ગુજરાતના આદિજાતિ ખેડુતોને મળશે ખાતર બિયારણ કીટ તદ્દન મફત.

સારાંશ.

આમ બકરા ઉછેર યોજના માં આપ જો લાયક છો તો જરૂરથી આ યોજનાનો લાભ ઉઠાવશો આ સિવાય અન્ય યોજનાઓ માં પણ અરજી કરી શકો છો. સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી યોજનાઓ લોકો સુધી માહિતીના અભાવે તેના ધાર્યા પરિણામ હાંસલ કરી શકતી નથી આ બ્લોગ દ્વારા લોકો સુધી આ વિશેની માહિતી મળી રહે તેવી છે. જો આપને આ માહિતી ઉપયોગી થઈ હશે તો જરૂર કોમેન્ટ કરશો. અને અન્ય ભાઇઓ બહેનોને પણ મોકલશો.. આભાર..

FAQ:

1. બકરા ઉછેર યોજના શું છે.

આ યોજના આદિજાતિ મહિલાઓને બકરા યુનિટ ખરીદવા માટે રૂ. 45000/- સુધીની સહાય આપવામાં આવે છે.

2. બકરા ઉછેર યોજના કોના દ્વારા લાગુ કરવામાં આવેલ છે ?

આ યોજના ડીસેગ દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

3. બકરા ઉછેર યોજના કયા ડિપાર્ટમેંટ દ્વારા લાગુ કરવામાં આવેલ છે ?

આ યોજના આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

4. બકરા ઉછેર યોજના કયા કયા જિલ્લામાં અમલીકૃત થાય છે ?

આ યોજના રાજ્યના 14 જેટલા આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત છે.

Leave a Comment