વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના @dsagsahay gujarat gov in

dsagshay yojana

Table of Contents

ગુજરાતમાં આદિજાતિ ખેડુતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેતીવાડીને લગતી યોજનાઓથી ખેડુતો તેમની જમીનો મબલખ પાકો ઉપજાવે છે. અને પોતાનું જીવન સ્તર સુધારીને સક્ષમ બન્યા છે. આદિજાતિ ખેડુતો કે જેઓ ખેતી કરવા માટે ની મૂળભુત જરૂરીયાતો પુરી કરી ખેતીમાં આધુનિક ઢબથી ખેતી કરે જેથી પરંપરાગત ખેતીથી વધારે ઉપજ મેળવે તેવા આશયથી dsagsahay gujarat gov in પોર્ટલ પર આદિજાતિ ખેડુતો માટે વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ના ઓનલાઇન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના શુ છે. ફોર્મ ભરવાની રીત, કોને લાભ મળશે, યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવેલ છે. વગેરે જેવા અનેક સવાલો હશે. તો ચાલો આપણે આ યોજના વિશે વિગતે માહિતી મેળવીએ. 

solor pump yojana

વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ના મુખ્ય તથ્યો

  • વિભાગ– આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર 
  • અમલીકરણ કરનાર એજન્સી– ડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ)
  • ઓનલાઇન અરજી કરવા માટેનું પોર્ટલwww.dsagsahay.gujarat.gov.in
  • ઓનલાઇન અરજી – ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આશરે
  • ઓનલાઇન અરજી કરવાની તારીખ– તા. 09/03/2023 થી 09/04/2023 સુધી 
  • ફોન નંબર– +91 79 23252257
  • હાલનાં મંત્રી– કેબીનેટ મંત્રી- કુબેરભાઇ ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી-કુવરજીભાઇ હળપતિ
  • કોને લાભ મળશે– આદિજાતિના ખેડુતોને 
  • મળવાપાત્ર લાભ- સામુહિક કુવો અને સોલર પંપ

યોજના વિશે મહત્વની બાબતો

ડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) કે જે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્ય કરે છે. વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાના આદિજાતિના ખેડુતો માટે લાગુ કરવામાં આવેલ છે. પાત્રતા ધરાવતા ખેડુતોએ ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવાનો રહેશે.આ યોજના સામુહિક એટલે કે આજુબાજુ ખેતીની જમીન ધરાવતા ખેડુતો માટે સામુહિક રીતે લાભ મેળવી શક્શે.  અરજી ની તારીખ વિતી ગયા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે. નહિ. આ યોજના હેઠળ અરજી ફોર્મ કોઇ પણ કચેરીથી મળશે જે લાભાર્થીઓ એ ધ્યાનમાં રાખવાનું રહેશે. 

અરજદારની પાત્રતા

  • આદિજાતિના ખેડુતો કે જેઓ આદિવાસી જિલ્લાઓમાં શીડ્યુલ એરીયા, પોકેટ અને ક્લસ્ટરમાં વસવાટ કરતાં હોય. 
  • 0 થી 20 સુધીનો બીપીએલ સ્કોર ધરાવતા આદિજાતિ ખેડુતો અરજી કરી શકશે. 
  • આ યોજના માં આદિમ જુથ હેઠળ જમીન ધરાવતા, વિધવા બહેનો તથા દિવ્યાંગ આદિજાતિ દિવ્યાંગ ખેડુતો ને પ્રાથમિકતા આપવામાં આવશે. 
  • વન-અધિકાર અધિનિયમ -2006 હેઠળ ફાળવેલ આદિજાતિ ખેડુતો કે જેઓ 0 થી 20 બીપીએલ સ્કોર ધરાવે છે તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકશે. 
  • જે આદિજાતિ લાભાર્થી 0 થી 20 સ્કોર ધરાવતા હોય તેવા પરિવારના એકજ સભ્યને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે. 
solor pump yojana 2

આ યોજના માં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજી પુરાવા

અરજદાર ઓનલાઇન અરજી કરતા પહેલા માંગ્યા મુજબના દરેક દસ્તાવેજો તૈયાર રાખવા જેથી અરજી કરવામાં સરળતા રહેશે. ઓનલાઇન અરજીમાં દરેક વિગતો આ દસ્તાવેજો માંથી જ દાખલ કરવાની હોય છે તેમજ ઓનલાઇન ઓપલોડ પણ કરવાના હોય છે. ઓનલાઇન ઓપલોડ કરવા માટે સાથે દરેક દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી કરાવી લેવી. નીચે મુજબના દસ્તાવેજો અરજદાર સાથે રાખવાના રહેશે.

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બી.પી.એલ. સ્કોર 0 થી 20 નો દાખલો 
  • અનુસુચિત જનજાતિનો દાખલો
  • જમીનનો પુરાવા જેવા કે- 7/12 તથા 8-અ ની નકલ
  • FRA act  મુજબ જમીનના પુરાવા (હુકમો સનદ) ની નકલ 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક 
  • વિધવા બહેનો હોય તો પતિના મરણનો દાખલો
  • દિવ્યાંગ લાભાર્થી હોય તો તબીબનું પ્રમાણપત્ર

અરજી કરવાની રીત

લાભાર્થી ઓનલાઇન અરજી કરવાની હોવાથી ગામના ઇ-ગ્રામ સેંટર કે જે ગ્રામપંચાયત ઓફિસમાં આવેલી હોય છે. ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી કે ઘરબેઠા ડિ-સેગ પોર્ટલ પરથી ફોર્મ ભરી શકશે. અહી ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ધ્યાન રાખવાના રહેશે.

  1. સૌપ્રથમ Dsagsahay Portal ના Home Page પર જાઓ. 
  2. અહી આપ મેનુબારમાં  “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર કરો. 
  3. ક્લિક કરતા લાભાર્થી રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ઓપન થશે. 
  4. અહી આપ માંગેલ વિગતો મુજબ દરેક વિગતો દાખલ કરો. 
  5. માંગેલ દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો. 

યોજના માટે લાભાર્થી પસંદગી ની પ્રક્રિયા

ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ઓનલાઇન અરજી કરવામાં આવતી હોય છે. તેમાંથી લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. તે ઘણા વાંચકોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે. તો ચાલો નીચે મુજબના ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

solar pump schemes in gujarat

ડિ-સેગ શું છે?

ડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) જેનુ આખુ નામ છે. આ એજન્સી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કામ કરે છે. આ સંસ્થા ગુજરાતમાં આદિજાતિ લોકોની સંલગ્ન વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરે છે વધુ માહિતી માટે નીચે આપેલ ક્લિક કરો

મિત્રો, આ હતી વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના વિશે કેટલીક મહત્વની માહિતી કોઇ મુંઝવણ હોય તો કોમેંટ કરશો. આ સિવાય આદિજાતિ મિત્રો માટે વખતો વખત અહિં માહિતી આપવામાં આવે છે. જેથી આ આર્ટિકલ અન્ય મિત્રોને પણ શેર કરશો. આભાર.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore